દિગ્દર્શક આશિષ કક્કડ નું હ્રદય રોગ ના હુમલાને કારણે કલકત્તા મુકામે દુઃખદ અવસાન

File Photo

આશિષ કક્કડ તેમના દિકરાના જન્મદિવસની ઉજવણી કરવા અમદાવાદથી ખાસ કલકત્તા ગયેલા, જે ૬ નવેમ્બરે પરત આવવાના હતા.. ઊંઘમાં સિવિયાર હાર્ટ સ્ટ્રોક આવી જતાં તેમનું દુઃખદ અવસાન થયું હોવાની માહિતી અંગત મિત્રો પાસેથી મળી રહી છે. તેમજ તેમની અંતિમ વિધિ કલકત્તા કરવી કે મુંબઈ તે બાબતે પરિવારમાં ચર્ચા થઈ રહી છે. પણ એ બિલકુલ સત્ય છે કે હવે આપડા આશિષ કક્કડ આપણી વચ્ચે નથી રહ્યાં….!!

તેમના દુઃખદ અવસાન ના સમાચાર જાણીને સમગ્ર કલા જગત દુઃખની લાગણી અનુભવે છે..ઇશ્ર્વર સદગતના આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના..ઓમ શાંતિ..