અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો-રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીનગર દ્વારા ૧લી અને ૨જી ડિસેમ્બરના રોજ એપીપી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ, એપીપી અમેરિકન ઇન્ટરનેશનલ બ્રાન્ચ, એપીપી ફાર્મેડયુહેલ્થકેર મેનેજ ડિવિઝનના સહયોગથી ગાંધીનગરમાં બે દિવસીય વર્ચ્યુઅલ ૧૫મી ઈન્ડો-યુએસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨ દિવસના ગાળામાં ૫૦૦થી વધુસભ્યોએ ભાગ લીધો હતો.
આ કોન્ફરન્સનું લોકાર્પણ માનનીય સંસ્થાના પ્રિન્સિપાલ ડો. રાગીન શાહે કર્યું હતું, જેમણે પોતાના પ્રારંભિક નિવેદનમાં વૈશ્વિક સ્તરની કોન્ફરન્સની જરૂરિયાત જણાવી હતી. તેમણે કહ્યું, “આખું વિશ્વ ચેપી અને બિન-ચેપી રોગોનો સામનો કરી રહ્યું છે જે દર વર્ષે લાખો લોકોના મૃત્યુનું કારણ બને છે. આ કોન્ફરન્સ અદ્દભુતસંશોધનો પ્રદર્શિત કરશે જે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે કેન્સરનો ઈલાજ કરી શકે છે અને અમે આ સંશોધનોને ગુજરાતમાં આગળ વધારવા માટે કટિબદ્ધ છીએ.”
કોન્ફરન્સમાં વિશ્વભરના મહાનુભાવો અને વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ સંબંધિત મુદ્દાઓને સંબોધવામાં આવ્યા હતા. પ્રો. અલેખા ડેશે ‘ટોપિકલ ડ્રગ ડિલિવરીમાં લિપોસોમ્સ અને ટ્રાન્સફરોમ્સ’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું, ડૉ. ઈશા પટેલે ‘એચપીવી વેક્સિન અપટેક એન્ડ કમ્પ્લીશન’ અને ડૉ. રાધિકા વી. કુમારે ‘નોવલ સલ્ફર કન્ટેનિંગ ૯-એનિલિનોક્રિડાઇન એઝ સાયટોટોક્સિક’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું.’
મુખ્ય અતિથિ, ડૉ. બી.એન. સુહાગિયા, ડીન, ફાર્મસી ફેકલ્ટી, ડીડી યુનિવર્સિટીએ આ પહેલની પ્રશંસા કરતાં કહ્યું, “”અરિહંત સ્કૂલ ઑફ ફાર્મસી અને બાયો-રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને એપીપી દ્વારા ફાર્મસી વ્યવસાયને વધુ સારી બનાવવા માટે અનુકરણીય કાર્ય કરવામાં આવ્યું છે જેમાં સમુદાય અને સમાજ નો મોટા પાયે સુધારો થશે.”
આ કોન્ફરન્સમાં, જે ડૉ. રાજીવ દહિયાનો આવિષ્કારી વિચાર છે, પ્રો. પલાનીસામી સેલ્વામણી, ડૉ. સૌરભ કુમાર બેનર્જી અને ડૉ. સૌરભ દહિયા જેવા અન્ય મહાનુભાવોની યજમાની કરવામાં આવી હતી. ડો. વંદના પટેલ સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને મોના કૌશલે સમગ્ર કાર્યક્રમમાં સંકલન કર્યું હતું.
આરોગ્યસંભાળ હવે એક વૈશ્વિક વિષય બની ગયો છે અને એપીપી ફાર્મા દ્વારા લેવામાં આવેલી પહેલ પરસ્પર સંકલન અને સહકાર દ્વારા ચેપી અને બિનચેપી રોગો સામે લડવા માટે દેશોને જોડશે.