પરિણામ પર્વે 70% વિધાર્થીઓએ રોજગારી / સ્વરોજગારી હાંસલ કરી
ફિલ્મ મેકિંગ સહિતના આયામોમાં વિધાર્થીઓની ફિલ્મોની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ
પત્રકારત્વ અને સમૂહ માધ્યમોના અભ્યાસ ક્ષેત્રે ગત 15 વર્ષથી અગ્રેસર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) ના વિધાર્થીઓએ તાજેતરમાં ગુજરાત યુનિવર્સીટી દ્વારા જાહેર થયેલા બીએ-જેએમસીની પ્રથમ બેચના પરિણામોમાં પ્રથમ દસ પૈકી 6 સ્થાન પ્રાપ્ત કરેલ છે. સંસ્થાના 70% વિધાર્થીઓએ પરીક્ષાના પરિણામ પહેલા જ રોજગારી / સ્વરોજગારી હાંસલ કરી છે.
બીએ-જેએમસીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં સંસ્થાના વિધાર્થીઓ જોય મુખોપાધ્યાય,અઝીઝ કટલેરીવાલા,હરિઓમ ઠાકુર, કારણ સિંહ યાદવ, અમન ગોસ્વામી અને કુ.પ્રાપ્તિ શાહે ટોપર્સ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.સંસ્થાનું પરિણામ 96% આવ્યું છે તેમજ 92% વિધાર્થીઓએ ડિસ્ટિંકશન / પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો છે,
અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા સમૂહ માધ્યમોના અભ્યાસની સાથે સાથે વિધાર્થીની સર્જનાત્મકતા ખીલે તે માટે કરવામાં આવતા પ્રયાસોના ભાગરૂપે બીએ-જેએમસીના વિધાર્થીઓએ બનાવેલી ડોક્યુમેંટ્રી/ શોર્ટ ફિલ્મોની રાજ્ય / રાષ્ટ્રીય સ્તરના ફિલ્મ ફેસ્ટિવલમાં નોંધ લેવાઈ છે.