• About
  • Advertise
  • Careers
  • Contact
Tuesday, July 8, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

અષાઢી બીજના દિવસે અડાલજ ખાતે ભગવાન જગન્નાથની સ્થયાત્રા નીકળશે

by NewsAasPaas
in Ahmedabad
Reading Time: 1 min read
A A
0

જગન્નાથ મંદિર અને રથયાત્રા (અડાલજ) વિશે સંક્ષિપ્ત માહિતી

અડાલજ, ગાંધીનગર ખાતે શશન મંદિર નજીક આવેલું ICARC (શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર) ઓડિશા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક સેતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત થયેલ છે. આ સંકુલમાં આવેલું જગન્નાથ મંદિર પુરી જગન્નાથ મંદિરની રીતે બાંધવામાં આવ્યું છે, જે પુરી જગન્નાથ મંદિરના તમામ રીત-રિવાજોનું પાલન કરે છે અને સર્વજનીન બંધુત્વની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથનો સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ “જગન્નાથ રથયાત્રા* અડાલજના જગન્નાથ મંદિર ખાતે 27 જૂન 2025 (શુક્રવાર)ના રોજ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ઉજવવામાં આવશે.

જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર (JECRC) ના અધ્યક્ષ શ્રી મહેશ્વર સાહુએ શેર કર્યું “રથયાત્રાનો ઉત્સવ સ્નાન પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે, જે 11 જૂનના રોજ ઉજવાયો હતો અને નીલાદ્રિ બિજય (8 જુલાઈ 2025) સુધી ચાલુ રહે છે.આ મંદિર વર્ષભર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર હે છે. અડાલજ, કડી, કલોલ, ગાંધીનગર અને અમદાવાદના નજીકના ગામોમાંથી દરરોજ સેંકડો ભક્તો દર્શન માટે આવે છે. રથયાત્રાના દિવસે આશરે 10,000 ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન માટે આવે છે.”

દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંજે ઓડિયા સમુદાય અને પ્રખ્યાત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

રથયાત્રાના દિવસની વિધિઓ

પુરી જગન્નાથ મંદિરની પરંપરા અને રીત-રિવાજો મુજબ રથયાત્રાના દિવસે નીચેની વિધિઓ કરવામાં આવે છેઃ
નેત્રોત્સવ પછી નવયૌવન દર્શન થાય છે, ત્યારબાદ મંગળા આરતી થાય છે અને રથનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ પછી દેવતાઓની પહિંદિવવધ થાય છે.

દરમિયાન, પંડિતો રથમાંથી આજ્ઞા માળા લાવીને ગજપતિ મહારાજને ‘સોનાના સાવરણીથી વાળવાની વિધિ (છેરાપહરા) માટે આમંત્રણ આપે છે. આ પછી ગજપતિ દ્વારા કપૂર આરતી કરવામાં આવે છે.

ત્રણ દેવતાઓની રથ પર આરતી પૂર્ણ થયા બાદ, ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપે છે અને ત્યારબાદ રથ ખેંચવાની પ્રક્રિયા શરૂ થાય છે.
પરંપરા મુજબ, ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ અને બહેન સાથે દર વર્ષે અષાઢી બીજના દિવસે રથમાં બિરાજીને તેમના મૌસીમા મંદિરની યાત્રા કરે છે અને જાતિ, રંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ ભક્તોને દર્શન આપે છે. રથયાત્રા માત્ર સર્વજનીન બંધુત્વનું પ્રતીક નથી, પરંતુ તે લોકોના મનમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ માટે નવી ઉર્જા પણ લાવે છે.
આ વર્ષના મુખ્ય અતિથિ અનેવિશેષ અતિથિ
આ વર્ષે મુખ્ય અતિથિ તરીકે શ્રી નરહરિ અમીન, માનનીય સાંસદ (રાજ્યસભા) અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા વિશેષ અતિથિ તરીકેગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલઉપસ્થિત રહેશે.
તેમના આગમન પર મંદિર વ્યવસ્થાપન સમિતિના શ્રી મહેશ્વર સાહુ, JCARCના અધ્યક્ષ અને શ્રી એચ. કે. દાસ, OSCAના પ્રમુખ સાથે અન્ય સમુદાયના સભ્યો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. આ પછી મુખ્ય પૂજારી ભગવાનની આજ્ઞા માળા (આદેશની માળા) સાથે આવશે અને પરંપરાગત ‘છેરાપહરા’ ની વિધિ કરવામાં આવશે. મુખ્ય અતિથિ અને વિશેષ અતિથિ JCARC અને OSCA વ્યવસ્થાપન સાથે વિષિઓમાં ભાગ લેશે.
રથયાત્રાનો માર્ગ
રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થશે, શશિન મંદિર, ઉવારસદ પુલ અને અડાલજ સર્કલ થઈને અન્નપૂર્ણા મંદિર પહોંચશે. ત્યારબાદ રથ એ જ માર્ગે પાછો જગન્નાથ મંદિર પરત ફરશે.

અન્નપૂર્ણા મંદિર પહોંચ્યા પછી, અન્નપૂર્ણા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરહરિ અમીન અન્ય ટ્રસ્ટીઓ સાથે મા અન્નપૂર્ણા માટે ભેટ સ્વીકારશે અને આરતી કરવામાં આવશે. આરતી પછી, અન્નપૂર્ણા મંદિર ખાતે ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
મૌસીમા મંદિર (અન્નપૂર્ણા મંદિર) ખાતે લગભગ બે કલાકના વિશ્રામ પછી, ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફરશે.
રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિર ખાતે ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

Tags: #JagannathRathyatra2025 #RathyatraAdalaj #RathyatraFestival #JagannathFestival #DivineJourney#RathyatraRoute #AdalajToAnnapurna #DivineProcession #RathYatraJourney #TempleToTemple
NewsAasPaas

NewsAasPaas

Next Post

ઇન્ટેલેક્ટે GIFT સિટી ખાતે PF ક્લાઉડ લોન્ચ કર્ – સિશ્વન પ્રથમ ઓપનબિઝનેિ ઇમ્પેક્ટ AI પ્લેટફોમમ ‘પરપલ ફબિક’ હિે ક્લાઉડ પર ઉપલબ્ધ,એન્ટરપ્રાઇઝ ગ્રેડ AI અપનિાની નિી દિશા પર સનધામદરત.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

બોલિવૂડના હાર્ટથ્રોબ વિકી કૌશલે કલર્સની ‘ઝલક દિખલા જા 10’ પર તેના બાળપણના ક્રશ વિશે ખુલાસો કર્યો

બોલિવૂડના હાર્ટથ્રોબ વિકી કૌશલે કલર્સની ‘ઝલક દિખલા જા 10’ પર તેના બાળપણના ક્રશ વિશે ખુલાસો કર્યો

3 years ago
રાજયના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને  6 મહિનાનું એક્સટેન્શન

રાજયના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન

5 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Election
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.