રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસ વધી રહ્યા છે.જેમાં શુક્રવારે 1087 વધુ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1083 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 51225 ટેસ્ટ કરવામાં આવ્યા હતારાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,11,047 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1071 દર્દી નોંધાયા છે.
રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર,રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,93,602 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,92,647 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 989 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14299 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 71 છે. જ્યારે 14228 લોકો સ્ટેબલ છે. 59522 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2448 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 2, ગાંધીનગર, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 1 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.