આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની તક આપશે તેમ વિજય રૂપાણી સરકારે જાહેરાત કરી હતી.
હાલમાં કોરાના મહામારીને પગલે મંદી જેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે, તેવા સમયે ગુજરાત સરકારે સરકારી ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8000 જગ્યાઓ માટે નિમણૂંક પત્ર તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ કરાયા છે.આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે. રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો મુખ્યમંત્રી રૂપાણીએ કરી છે. તાજેતરમાં જ એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારમાં પણ ભરતી પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફની સ્થિતિમાં છે ત્યારે ગુજરાતમાં આગામી 5 મહિનામાં 20,000 યુવાનો માટે સરકારી નોકરીની નવી તક ખુલતા રાજ્યમાં અનેક યુવાનોમાં આશાનું કિરણ જન્મ્યું છે
રાજય સરકારે 1-8-18 નો પરિપત્ર રદ કરાયા બાદ જાહેરાત કરી કે, જે ભરતી માટે જાહેરાત થઈ ગઈ છે, પરંતુ પરીક્ષાની પક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડની સ્થિતિ સામાન્ય બાદ આગળની પ્રક્રિયા કરવા સૂચના અપાઈ છે. આગામી પાંચ મહિનામાં રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને નોકરીની વ્યાપક તકો મળશે. સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો મળશે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેના નિમણૂંક પત્રો તાત્કાલિક આપવામાં આવશે. આમ, ભરતી પ્રક્રિયાને લઈને જે પ્રશ્નો હતા તેના પર પૂર્ણવિરામ મૂકાશે. 6