“અરિહા કો વાપસ લાના હૈ” જર્મનીમાં ફસાયેલી ગુજરાતની દીકરીને ભારત લાવવા સમાજે કલેક્ટરને પાઠવ્યું “સંવેદના પત્ર”
“અરિહા કો વાપસ લાના હૈ”.. અભિયાન શરૂ કરાયું

જમર્નીમાં ફસાયેલી 18 માસની ગુજરાતની દીકરીને ભારત લાવવા માટેની માંગ હવે ઉગ્ર બનતી જાય છે. આ દિશામાં “અરિહા કો વાપસ લાના હૈ” અભિયાન છેડાયું છે, જે અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાંથી કલેક્ટરને આવેદનપત્ર રૂપે સંવેદના પત્ર પાઠવવામાં આવી રહ્યા છે.
18 માસની દીકરીને જર્મનીમાંથી પરત લાવવા છેડાયું અભિયાન

એક અઠવાડિયામાં જ સુરત, ભુજ, સુરેન્દ્રનગર, વેરાવળ અને અમદાવાદમાં પણ દીકરીના પરિજનો અને જૈન તેમજ વિવિધ સમાજના માનવતા પ્રેમીઓ બંધુઓએ અમદવાદની કલેકટર કચેરીની બહાર પોસ્ટર સાથે અરિહા બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા.
અમદાવાદ ખાતે કલેક્ટરને “સંવેદના પત્ર” પાઠવવામાં આવ્યું

અમદાવાદના જૈન સમાજના લોકો દ્વારા એક વર્ષથી પીડાતી બાળકીની વેદનાને સંવેદના પત્ર રૂપે કલેકટરને સુપ્રત કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, આ ઘટના દરમિયાન સંવેદના પત્ર આપવામાં આવેલા સામાજિક કાર્યકર્તાઓએ કલેકટર કચેરીમાં માતાજીની આરતી પણ ઉતારી હતી, જેથી પ્રભુ પણ સરકારને આ બાળકીને જલ્દી ભારત લાવવાની પ્રેરણા આપે.
જૈન સમાજ સાથે વિવિધ સમાજના લોકો પણ જોડાયા
જર્મની સરકાર દ્વારા એક એક વર્ષથી ફોસ્ટર કેરમાં રાખવામાં આવેલી બાળકી અરિહાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘનથી રહ્યું છે. જેની રજૂઆતો વારંવાર કરવામાં આવી હોવા છતાં સરકાર તરફથી કોઈ પગલાં નહીં લેવાતા સમગ્ર જૈન સમાજના મોટા ગુરૂભગવંતોમાં એક રોષની લાગણી ઉત્પન્ન થઈ રહી છે. જૈન સમાજની બીજા બધા સમાજના લોકો પણ જોડાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ઉગ્ર રીતે સરકારને આ બાળકી જલ્દીથી પાછી લાવવા માટે અપીલ કરી રહ્યા છે.