દિલ્હીમાં 5-6 ડિસેમ્બરે યોજાનારી ભારત-જર્મની દ્વિપક્ષિય વાર્તા આપણી ગુજરાતની દીકરી માટે નિર્ણાયક રહેશે
એક એક વર્ષ થી જર્મનીની ચાઈલ્ડ સર્વિસ દ્વારા વિવિધ કાયદાઓ હેઠળ જર્મનીની ફોસ્ટર કેયર માં રાખવામાં આવેલી આપણા ગુજરાતની નાનકડી ભુલકી અરિહા શાહ ને ભારત લાવવાની માંગ દેશ ના ખૂણે ખૂણે થી ઉઠી રહી છે. છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગુજરાતના સાત જેટલા વિવિધ શહેરો માં વિશાળ જન મેદની સાથે અરિહા બચાવો રેલીઓ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા મોટા જૈન મહાત્માઓ અને વિવિધ સંપ્રદાયોના સંતો પણ જોડાયા હતા. આ બાળકીને જર્મનીમાંથી છોડાવી ને ભારત પરત લાવવા માટે જૈન ઉપરાંત પટેલ સમાજ ના વિવિધ અગ્રણીઓ એ પણ પોતાનાથી બનતા તમામ પ્રયાસો અને અનેક રજૂઆતો સરકારશ્રી ને કર્યા હતા .
આ બાળકી માટે ટવીટર જેવા શોશિયલ મીડિયા માં પણ અનેક રજૂઆતોનો દૌર ચાલી રહ્યો છે અને ભારતની આ દીકરી ને જર્મન ચાઈલ્ડ સર્વિસ દ્વારા થઈ રહેલા તેના મૂળભૂત અધિકારો અને બાળ અધિકારો ના ઉલ્લંઘન માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આપણે સૌએ જોયું અને અનુભવ્યું છે કે આપણી શસ્ક્ત સરકારે કેવી રીતે કોરોના કાળ માં વિવિધ દેશો ની મદદ કરી હતી અને કેવી રીતે ચાલુ યુદ્ધ ને પણ વિરામ આપી ને પ્રધાનમંત્રી શ્રી એ યુક્રેન ફસાયેલા આપણા બાળકોને ભારત પરત લાવી નવું જીવન આપ્યું હતું.
આપણા પ્રધાનમંત્રીશ્રી ની શસ્ક્ત વિદેશ નીતિ અને એમના સન્વેદનશીલ નેતૃત્વ ના કારણે સમગ્ર દેશવાસીઓમાં પણ એક આશા અને અપેક્ષા નું મોજું ઉછળી રહ્યું છે કે છે કે મોદીજીના નેતૃત્વમાં ગુજરાતની આ દીકરીનો જર્મની પણ વાળ વાંકો નહિ કરી શકે પણ એ સાથે સાથે અમુક લોકો એક એક વર્ષ થી આ કેસ નું સમાધાન ન આવવાને લીધે વિદેશ મંત્રાલય સામે દુઃખ પણ વ્યકત કરી રહ્યા છે.
30 નવેમ્બર ના રોજ , આપણા વિદેશ મંત્રાલય ના પ્રવક્તા શ્રી અરિન્દમ બાગચી એ મીડીયા માં જણાવ્યું છે કે જર્મનીના વિદેશ મંત્રી 5 તથા 6 ડિસેમ્બર ના રોજ ભારત ના પ્રવાસે છે અને એ દરમિયાન એ આપણા વિદેશ પ્રધાન શ્રો ડૉ જયશંકરજી સાથે બંને દેશો સાથે જોડાયેલા વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છે.
આ સમાચાર મળતાની સાથે જ ,શોશિયલ મીડિયા ઉપર લાખો લોકો વિદેશ મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય ને અનુરોધ કરી રહ્યા છે કે આપણી આ ભારતની દીકરી અરિહા શાહ ના મુદ્દા ને મજબૂત રીતે આ દ્વિપક્ષીય વાર્તા દરમિયાન ઉઠાવવામાં આવે અને દીકરીને ભારત લાવવા નો માર્ગ સુનિશ્ચિત કરવામાં આવે. દીકરી ને ભારત પાછી લાવવા ના પ્રયાસોમાં પરિવાર સાથે મહિનાઓથી જોડાયેલા અને સરકારશ્રી સાથે જોડાયેલ એક જૈન સમાજ ના કાર્યકર પાસે થી જાણવા મળ્યું છે કે આપણા પ્રધાનમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી આ દીકરી માટે સંપૂર્ણપણે કાર્યરત છે અને એમને વ્યકતિગત રીતે આ કેસની તમામ વિગતો સમજીને ,તમામ મંત્રાલયોને આપણી દીકરી ને ભારત પરત લાવવા માટે સક્રિય થવાના નિશા નિર્દેશ આપી દીધેલા છે.
એક તરફ દીકરીને ભારત પરત લાવવાના તમામ પ્રયત્નો ચાલુ થયા છે ત્યારે આ 5 તથા 6 ડિસેમ્બરે , જર્મની અને ભારત વચ્ચે જે દ્વિપક્ષિય મંત્રાલય માં આ દીકરીનો મુદ્દા પર વિસ્તૃત રીતે ચર્ચા થાય એવી પુરેપુરી શક્યતાઓ છે. છેલ્લા બે વર્ષથી જર્મની અને ભારત સરકાર વચ્ચે ના સંબધો ગાઢ બનાવવાના બંને દેશો તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે અને એ અંતર્ગત આપણા પ્રધાનમંત્રીશ્રી એ પણ એક જ વર્ષમાં બે વાર જર્મનીની મુલાકાત લીધી હતી.
દિલ્હીમાં 5-6 ડિસેમ્બરે યોજાનારી ભારત-જર્મની દ્વિપક્ષિય વાર્તા દરમિયાન આપણી ગુજરાતની દીકરી નો ભારત લાવવો માર્ગ મોકળો થાય અને આપણી આ દીકરીના નાના નાના પદ ચિહ્નો ભારતની ધરતી પર આકાર પામે એવી આશા લાખો લોકો અને સાધુ સંતો વ્યકત કરી રહ્યા છે . આપણી આ ગુજરાતની દીકરી આપણા પ્રધાનમંત્રીશ્રી ના સન્વેદનશીલ નેતૃત્વ હેઠળ માં ભારતી ને મળે અને દીકરી ભારતીયતાને પામી દેશનું ગૌરવ બને એ જ ઈશ્વરને અંતર્મનથી પાર્થના કરીયે છીએ.