આશારામજી બાપુના અમદાવાદ કેસનો ફેસલો જે નવેમ્બર 2022માં આવનાર હતો, હવે 20 જાન્યુઆરી 2023ના રોજ આવનાર છે
આ કેસમાં આશારામ બાપુની સાથે તેમની ધર્મપત્ની અને પુત્રીનું નામ ગુનેગારમાં છે. કેસના વકીલોની વાત માનીએ તો આ કેસમાં તમામને સજા થવાની છે. આ કેસના કાગળોને નીકાળી વકીલો પાસે વંચાવ્યા અને તેમનો પણ આ જ અભિપ્રાય છે કે કેસમાં બચાવ પક્ષે યોગ્ય રીતે તપાસ નથી કરી, કે ન તો બાપુજીના પક્ષનો વિરોધ દાવો નોંધાવ્યો છે. જે કેસમાં યુવતીઓ પોતે જ કહી રહી હતી કે આ કેસ તેમના પર દબાણ કરીને કરવામાં આવ્યો હતો, તેવા કેસમાં આશારામ બાપુ સહિત તેમના પરિવારને 20 જાન્યુઆરીએ સજા સંભળાવવા જઈ રહી છે.
આ કેસ આશારામ બાપુની મેનેજમેન્ટ ટીમે લડ્યો છે, તે જ મેનેજમેન્ટ ટીમ જેણે ખૂબ જ મહેનત કરી આશારામ બાપુને જોધપુર જેલમાં આમરણ કેદ કરાવી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે તેમની મહેનત રંગ લાવશે અને આશારામ બાપુ સહિત તમનો સમગ્ર પરિવાર આ કેસમાં જેલની સળિયા પાછળ હશે.
આશારામ બાપુની મેનેજમેન્ટ ટીમ જે આ સમયે હજાર કરોડની સંપત્તિની માલિક છે, તેણે સંપત્તિ પર પોતાના પૂર્ણ વર્ચસ્વ મેળવવા માટે બાપુના પરિવારને કાયદાકીય રીતે હટાવવા માટે આ ષડયંત્ર રચ્યું છે.