- ફિલ્મના પ્રમોશન અર્થે એક્ટર યશપાલ શર્મા, યોગેશ ભારદ્વાજ અને તન્નિષ્ઠા બિસ્વાસ તથા ડિરેક્ટર કૌશિક કાર અમદાવાદમાં સિન્ધુભવન રોડ ખાતે આવેલ બનાના સ્માર્ટપ્લેક્સ ખાતે આવ્યા હતા.
- ફિલ્મ 14મી એપ્રિલ, 2023 ના રોજ થઈ રહી છે રિલીઝ
- લાઈમલાઈટ એન્ટરટેઇનમેન્ટના કેવિન પટેલ દ્વારા સમગ્ર ઈવેન્ટનું ખૂબ જ સુંદર રીતે કરાયું આયોજન
“છિપકલી” ફિલ્મ 14મી એપ્રિલે દેશભરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ વિખ્યાત લેખક વિનોદ ઘોસલાના પુસ્તક છાયાજાપન અને કૌશિક કારના પુસ્તક ટિક ટીકીર ડાક પર આધારિત છે, જે અગાઉ નાટકમાં રૂપાંતરિત કરવામાં આવી હતી અને હવે તેને ફિલ્મમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં જોવા મળશે કે આપણે જે પણ કરીએ છીએ તે આપણને એવું લાગે છે કે કોઈ જોઈ રહ્યું નથી પણ કોઈ તો છે જે આપણને જોઈ રહ્યું છે. આ વાર્તામાં ગરોળી, ગરોળીનો ઉપયોગ માત્ર રૂપક તરીકે જ નહીં પરંતુ શારીરિક રીતે સહઅસ્તિત્વ ધરાવતા પાત્ર તરીકે પણ કરવામાં આવ્યો છે. વાર્તામાં જીવંત વિશ્વ, ભૌતિક વિજ્ઞાન, સમય અને માનવ મનનો સારો સમન્વય છે. છિપકલી એ દર્શનના રોમેન્ટિક રહસ્યની ગીતાત્મક અને આધ્યાત્મિક પ્રસ્તુતિ છે. ફિલ્મના પ્રમોશન અર્થે એક્ટર યશપાલ શર્મા, યોગેશ ભારદ્વાજ અને તન્નિષ્ઠા બિસ્વાસ તથા ડિરેક્ટર કૌશિક કાર અમદાવાદમાં સિન્ધુભવન રોડ ખાતે આવેલ બનાના સ્માર્ટપ્લેક્સ ખાતે આવ્યા હતા. આ સમગ્ર ઇવેન્ટને લાઈમલાઈટ એન્ટર્ટેઈનમેન્ટના કેવિન પટેલ દ્વારા મેનેજ કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બોલિવૂડ અભિનેતા યશપાલ શર્મા છિપકલી ફિલ્મમાં એક અનોખા પાત્રમાં જોવા મળશે, તેમનો દમદાર અભિનય અને સંવાદો ફિલ્મને અન્ય ફિલ્મો કરતા અલગ તારે છે. યશપાલ શર્મા ઉપરાંત, આ ફિલ્મમાં યોગેશ ભારદ્વાજ અને તન્નિષ્ઠા બિસ્વાસ પણ મુખ્ય ભૂમિકામાં છે, જેઓ તેમના અભિનયથી છાપ છોડતા જોઈ શકાય છે. ઝી મ્યુઝિક પર ટીઝર ટ્રેલર અને ગીતો જોયા બાદ બોલિવૂડના ચાહકો માત્ર ફિલ્મ જ નહીં પરંતુ યશપાલ શર્માની એક્ટિંગના પણ વખાણ કરી રહ્યા છે. છિપકલી દેખીતી રીતે એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. અભિનેતા યશપાલ શર્માએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ ફિલ્મ તેમના જીવનની શ્રેષ્ઠ ફિલ્મ છે. કોલકાતા સ્થિત કૌશિક કાર દ્વારા દિગ્દર્શિત છિપકલીએ અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી છે.