રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ હતી.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1332 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1415 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3167 થયો છે.
રાજયના આરોગ્યના જણાવ્યા અનુસાર,છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 109627 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,230 છે. આજે રાજ્યમાં કુલ 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 82.31 ટકા છે.
આરોગ્ય વિભાગે આપેલા વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 278, અમદાવાદમાં 167, રાજકોટમાં 150, વડોદરામાં 124, જામનગરમાં 105, ભાવનગરમાં 64, ગાંધીનગરમાં 38, જૂનાગઢમાં 37, પાટણમાં 31, અમરેલી, પંચમહાલમાં 30-30, મોરબીમાં 27, જામનગર, મહેસાણામાં 25-25, ભરૂચ, સુરેન્દ્રનગરમાં 24-24, મહીસાગરમાં 21, કચ્છમાં 20, દાહોદમાં 18, ગીર સોમનાથમાં 15, બોટાદમાં 14, નવસારીમાં 11, છોટા ઉદેપુર, ખેડા, સાબરકાંઠામાં 10-10, બનાસકાંઠામાં 9, પોરબંદર, નર્મદામાં 8, આણંદ, તાપીમાં 7-7, દેવભૂમિ દ્વારકામાં 5, અરવલ્લીમાં 3, વલસાડમાં 2 સહિત કુલ 1332 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કારણે 15 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ, સુરતમાં 4-4, અમરેલીમાં 2 જ્યારે ગાંધીનગર, વડોદરા, જામનગર, રાજકોટ, સાબરકાંઠામાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 334, અમદાવાદમાં 134, રાજકોટમાં 128, વડોદરામાં 166, જામનગરમાં 201 સહિત કુલ 1415 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.